23 March, 2014

શહીદ ભગતસિંહ આતંકવાદી ???

Bhagatsinh
Bhagatsinh at Central Jail
મિત્રો, આપણી rijadeja.com વેબસાઇટ અને તેના બ્લોગ પર આપણે લગભગ શૈક્ષણિક બાબતોનો જ ઉલ્લેખ કરીએ છીએ પણ આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ છે ત્યારે હું મારી જાતને આ વિશે લખતા કંઇ રીતે રોકી શકુ ?


આજના દિવસે એટલે કે 23 માર્ચ, 1931નાં રોજ ભારતના ફિલ્મી નહી પણ સાચા હિરો સમાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી.
આ શહીદોને ફાંસી આપવાની તારીખ 24 માર્ચ, 1931 નિર્ધારિત કરવામાં આવી હતી –પણ ભારતના એક મહાન નેતા, જેને દેશ બહુ જ વધુ પડતુ માન આપે છે તેવા નેતાએ બ્રિટિશ ઑથોરીટીને રાતોરાત મળીને ભલામણ કરી કે જો 24 તારીખે ફાંસી આપવામાં આવશે તો પ્રજા હોબાળો મચાવશે તેથી જો ફાંસી આપવી જ હોય તો નક્કી કરેલ તારીખ પહેલા જ આપી દો !!!! એવુ કહી શકાય કે જો આ ‘મહાન’ વ્યક્તિએ આ પ્રકારનો હસ્તક્ષેપ ના કર્યો હોત તો પ્રજા અને તેમના કાર્યકરો ફાંસીનો વિરોધ કરી અને અટકાવી શક્યા હોત. પણ કદાચ તે નેતાને ભગતસિંહની હયાતીમાં પોતાનું ભવિષ્ય અંધકારમય દેખાતું હતું તેથી જ આ પ્રકારનું કૃત્ય કર્યું હશે.

ભગતસિંહનો દેશ સેવા માટેનો ઇતિહાસ બહુ લાંબો નથી કારણ કે 23 વર્ષની ઉમરે તો તેઓ શહીદ થઇ ગયા હતા પણ આ નાની ઉમરમાં તેઓ દેશ માટે જે બલિદાન આપી ગયા તેને આ ભારતવર્ષ ક્યારેય ભુલી નહી શકે. કેન્દ્ર સરકારની સી.બી.એસ.ઇ.ના પાઠ્યપુસ્તકોમાં તેઓને ‘આતંકવાદી’ પણ ગણાવવામાં આવ્યા હતા પણ તેઓ બ્રિટિશરો માટે આતંકવાદી હતા અને ભારત દેશની આઝાદી માટે તેઓએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ આતંક મચાવ્યો હતો જે કોઇ ગુનાહિત કૃત્ય નહતુ પણ દેશા સેવા હતી. આપણા મહાન ગ્રંથ ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે ‘હણે તેને હણવામાં કોઇ પાપ નથી’. બ્રિટિશરો એ ભારતીય પ્રજા પર અસહ્ય અત્યાચારો કર્યા હતાં તે સંજોગોમાં તેની વિરુદ્ધ આતંકવાદ કરવો તે કોઇ પાપ નહી પણ એક ફરજ બની જાય છે.

ભારતવર્ષમાં કદાચ ભગતસિંહ જેવો કોઇ ક્રાંતિકારી નહી જન્મે કારણ કે જેમ જેમ સમય વિતતો જાય તેમ તેમ લોકોની માનસિકતા બદલાતી જાય છે, દેશપ્રેમ ઘટતો જાય છે, દેશનું ભલુ ઇચ્છવાને બદલે વ્યક્તિગત ભલુ ઇચ્છનારા લોકોનો વધારો થતો થાય છે. ભારત જેવા વિશાળ અને લાંબો સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવતા દેશમાં આખરે લોકોના મનમાં એક જ વિચાર આવી જાય છે –આપણે શું?
--R. I. Jadeja

23 comments:

  1. આજની યુવા પેઢી અને ખાસ ઉછરતા નાના બાળકોને આ જ્ઞાન હોવું ખુબ જ જરૂરી છે....કારણકે અત્યારે માબાપ, યુવાઓ પોતે અને પોતાનાથી નાના બાળકોને ફિલ્મોના ગીતો જેના શબ્દો બીભત્સ હોય છે તે ગાવા દે છે તો આગળ જતા બાળકની કે યુવા પેઢીની શું માનસિકતા હશે તેની કલ્પના કરીએ ....પરંતુ એ જ બાળકને કોઈ દિવસ મહારાણા પ્રતાપ, શિવાજી,ભગતસિંહ કે સ્વામી વિવેકાનંદ વિષે વાત કરી ???? અને મોટા થઈને એ જ બાળક સ્વાર્થી બને કે સ્વછંદ બને ત્યારે દોષનો ટોપલો ત્યાં જડી દેવામાં આવે છે પરંતુ પહેલા સંસ્કૃતિ સાચું સિંચન જ નથી થતું ....એટલે આપડે શું ???? શબ્દ પર વિચાર કરવો જ રહ્યો ....

    ReplyDelete
  2. આજની પેઢી એટલે કે થર્ડ જનરેશન જેને મનોરંજન જ જોઇએ છે. પણ તે લોકોને ખબર નથી કે આ થોડા સમયનું મનોરંજન તેઓની જીંદગી બગાડશે. ફિલ્મી નાટકો સમાજને ક્યાં લઇને મુકશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

    ફિલ્મી હિરો એટલે શું? અરે તે તો ફક્ત 3 કલાક માટે 'ડમી' અને ભાડે રાખેલો હિરો હોય છે. અસલી હિરો ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય એ બધા જ હતા. પણ અફસોસ કે ભારતની જનતા અને ખાસ તો યુવા પેઢીઓને ભાડે રાખેલા હિરો જ પસંદ આવે છે.

    ReplyDelete
  3. Aaje apne gme tetla aagad vdhi gaya hoie pn apna loko hji gulami ni mansikta thi bandhayela chhe...edu. ma gnu sudharo krvani jarur chhe jethi apne potana sacha itihas ni khbr pde n k e itihas j apne bijao dwara janva k thopi besadva ma avyo chhe...jay hind

    ReplyDelete
    Replies
    1. JADEJA SAHEB AAJE HINDU HINDU KYA CHE? BRAHMIN CHE KSHATRIYA CHE VAISHYA CHE SUDRA CHE :) HINDU KYA CHE?

      Delete
  4. એ મહાન નેતા એટલે બીજું કોઈ નહિ પણ - ગાંધીજી ...જેમના માટે પોતાના અહિંસાના સિદ્ધાંત વધારે મહત્વના હતા,કદાચ એ એવું સાબિત કરવા માંગતા હતા કે અહિંસા દ્વારા જ આઝાદી મેળવી શકાય. જયારે તેમનું એકમાત્ર ધ્યેય ગમે તે ભોગે આઝાદી મેળવાનું હોવું જોઈતું હતું. જો તેમણે ચોંરી ચોરાની હિંસક ઘટનાને કારણે અસહકારનું અંદોલન પાછુ ન ખેંચ્યું હોત તો એ વખતે જ ભારતને આઝાદી મળી ગઈ હોત. છેવટે હિન્દ છોડો અંદોલન વખતે હિંસાની અસંખ્ય ઘટનાઓ બની હતી અને પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડી. પાછળથી તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓ ભગતસિંહ ને બચાવી શક્યા હોત અને તેમણે અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું એ પોતાની 'હિમાલય' જેવડી ભૂલ ગણાવી હતી.

    ReplyDelete
    Replies
    1. Its true that the so called leader was Gandhiji himself. But according to him, the way to get freedom was as important as freedom itself. We didn't go into stone age like our naighbour Pakistan after freedom. That was because of the the rules he had accepted for himself. Today it is a 'fashion' to curse Gandhiji for his deeds. Mistakes could have been there at that time today we called the same a 'crime'. But also we should not forget his battles he had fought to for all of us.

      Delete
    2. You are right sir.... absolutely... for Gandhiji at that event, it was his principles were prior in front of true patriots of country....

      Delete
    3. ghandhiji hata teni aaje j khabar padi

      Delete
  5. Right sir.. you are doing great woek.. btw now No one wants to even think about country.. all wants money only any How.. People just think about our Nation.. if u cant do something than NO one can do..

    ReplyDelete
  6. સંસ્કાર વિહોણા શિક્ષણના વધેલા વ્યા૫ને કારણે .... આજના શિક્ષણના વે૫લાના યુગમાં....આ૫ણા ભવ્ય વારસાને અને સંસ્કૃતિના ભવ્ય ભુતકાળને વિસારી દેવાયો છે.....ભારત માતાના આવા લાડલાનાં બલિદાનોની આજની પાન ગુટકા ચાવતી પેઢીને શી કિંમત હોય....

    ReplyDelete
  7. salute to shahid bhagatsingh, sukhdev and rajguru.

    ReplyDelete
  8. so salal bharatmata ke veer putro ko.

    ReplyDelete
  9. vande mataram bhaio

    ReplyDelete
  10. U did good job.....dear all

    ReplyDelete
  11. thank u sir ek saty hakikat janva mali realma ava satyo vadilo janta hova chata pn najar andaj kri deta hoi 6 km k te lokone des des na ujval bhavi bhagaTSINH JETLI TO NAI PN TENA MAMULI ANS THVA NI PN ECHCHA HOTI NATHI A SU AJNA BHAVI NE GNAN APE@DEVU

    ReplyDelete
  12. Amne bharatiya hovano garva chhe.

    ReplyDelete