Showing posts with label ૧૧ સપ્ટેમ્બર. Show all posts
Showing posts with label ૧૧ સપ્ટેમ્બર. Show all posts

12 September, 2012

૧૧ સપ્ટેમ્બર – ઐતિહાસિક દિવસ

૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ --ભારત દેશ માંટે ખુબ જ અગત્યની તારીખ છે. આ જ તારીખે આપણા સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક ભાષણ આપ્યુ હતુ. ઇતિહાસકાર હોટને આ દિવસ માટે આ પ્રકારનુ વાક્ય લખ્યુ હતુ “૧૯મી સદીની સર્વશ્રેષ્ઠ પળ આવી પહોંચી હતી.” ખરેખર તે સર્વશ્રેષ્ઠ પળ જ હતી કારણકે વિશ્વભરના હજારો ધર્મ વિશેષજ્ઞો આ પરિષદમાં હાજર રહ્યા હતા. પરિષદની વિશાળતા તે બાબતથી જ સ્પષ્ટ થાય છે કે તેની તૈયારી કરવા માટે આયોજકોએ સમગ્ર વિશ્વમાં કુલ દસ હજાર પત્રો લખ્યા હતા અને અંદાજે ચાલીસ હજાર જેટલા દસ્તાવેજો બહાર પાડ્યા હતા.