૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ --ભારત દેશ માંટે ખુબ જ અગત્યની તારીખ છે. આ જ તારીખે આપણા સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક ભાષણ આપ્યુ હતુ. ઇતિહાસકાર હોટને આ દિવસ માટે આ પ્રકારનુ વાક્ય લખ્યુ હતુ “૧૯મી સદીની સર્વશ્રેષ્ઠ પળ આવી પહોંચી હતી.” ખરેખર તે સર્વશ્રેષ્ઠ પળ જ હતી કારણકે વિશ્વભરના હજારો ધર્મ વિશેષજ્ઞો આ પરિષદમાં હાજર રહ્યા હતા. પરિષદની વિશાળતા તે બાબતથી જ સ્પષ્ટ થાય છે કે તેની તૈયારી કરવા માટે આયોજકોએ સમગ્ર વિશ્વમાં કુલ દસ હજાર પત્રો લખ્યા હતા અને અંદાજે ચાલીસ હજાર જેટલા દસ્તાવેજો બહાર પાડ્યા હતા.
Showing posts with label ૧૧ સપ્ટેમ્બર. Show all posts
Showing posts with label ૧૧ સપ્ટેમ્બર. Show all posts
