15મી ઓગષ્ટ, 1947 એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે 65 વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી, આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ શુ આપણે જે રીતે અધિકારો ભોગવીએ છીએ તે જ બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યો નિભાવીએ છીએ?
Showing posts with label ભારત. Show all posts
Showing posts with label ભારત. Show all posts
15 August, 2012
12 January, 2012
ભારત - રાષ્ટ્રીય યુવા દિવસ

આજે ૧૨મી જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય યુવા દિવસ. આ દિવસ આપણે સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિતે ઉજવીએ છીએ કારણકે તેઓ આજની તારીખે પણ યુવાનો માટે આદર્શ સમાન છે. તેઓને એક સંત પણ કહી શકાય અને એક વિદ્વાન પણ, એક ગુરુ પણ કહી શકાય અને એક માર્ગદર્શક પણ... ભારતે તેઓના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસનુ બિરુદ આપ્યુ તે પણ એકદમ બંધ બેસતુ જ છે.
પણ શુ આપણે સ્વામી વિવેકાનંદના કોઇ વાક્યોને જીવનમા ઉતારીએ છીએ? સ્વામી વિવેકાનંદના સુવિચારોના પુસ્તકો ફક્ત 4-5 રુપીયાની કિંમતમા બજારમા મળે છે પણ શુ આપણે તે ખરીદવાની દરકાર લઇએ છીએ? આ 4-5 રુપીયાની કિંમતનુ જો કોઇ એક પુસ્તક ભારતના હજારો યુવાનોના જીવનમા ઉતરી જાય તો ભારતનો બેડો પાર થઇ જાય પરંતુ હાલના વાતાવરણમા આવુ કઇ જોવા મળતુ નથી.
