30 August, 2021

જન્માષ્ઠમી -- હજારો વર્ષોથી ઉજવાતો એક અનેરો જન્મોત્સવ

Lord Shri Krishna જન્માષ્ઠમી શબ્દ સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણનું એક બાળ સ્વરુપ આપણા વિચારોમાં આવી જાય. સ્મિત ધરાવતું એક બાળક, ગાયો ચરાવતું, માખણની ચોરી કરતું, મિત્રો સાથે રમતું, વાંસળી વગાડતું એક એવુ બાળક આપણી સામે આવી જાય છે, જે 5000 વર્ષો બાદ આજે પણ આપણી સામે બાળ સ્વરુપે જ આવે છે! આટલા હજાર વર્ષો વિતી ગયા હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ સમગ્ર ભારત અને વિશ્વમાં એવી રીતે જ મનાવાય છે જાણે આજે જ તેમનો જન્મ થયો હોય!

    કહેવાય છે કે ભગવાનના જન્મ પહેલા જ તમામ રાશિ, નક્ષત્ર, ગ્રહો અને યોગ પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં આવી ગયા હતા, સમગ્ર વાતાવરણમાં એક અનેરી સુગંધ ફેલાઇ ગઇ હતી, તમામ વનસ્પતિઓ, ફૂલો વગેરે મહેકી ઉઠ્યા હતા અને ત્યારબાદ ભગવાનનો જન્મ થયો હતો. આજે પણ જ્યારે ગોકુળ અષ્ઠમીનો દિવસ આવે છે ત્યારે આપણામાં એક નવી જ ઊર્જા આવી જાય છે તેમજ એ વાતની યાદ આવી જાય છે જે ભગવાને ગીતાજીમાં અર્જૂનને કહી છે કે ‘સંસારના કણ કણમાં હું છું અને મારી મરજી વિરુદ્ધ એક પાંદડુ પણ હલી શકતુ નથી’. બસ આ જ વિચાર સાથે આટલા વર્ષો બાદ આજે પણ જન્માષ્ઠમીના તહેવાર એટલા જ હર્ષોલ્લાસ સાથે મનાવીએ છીએ અને દર વર્ષે ભગવાનનો જન્મ દિવસ મનાવીએ છીએ અને સદીઓ સુધી મનાવતા પણ રહીશું... છેલ્લે ભગવાનને જ તેમના જન્મદિવસની શુભકામનાઓ આપીએ, Happy Birthday to you Lord Krishna!

    તમામ વિદ્યાર્થીઓ, વાચકોને પણ જન્માષ્ઠમીની હાર્દિક શુભકામનાઓ... જયશ્રી કૃષ્ણ

3 comments: